32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines શહીદ દિવસ: PM મોદીએ કહી દીધી હૃદય સ્પર્શી વાત, દરેક બાળકોના હોઠ...

શહીદ દિવસ: PM મોદીએ કહી દીધી હૃદય સ્પર્શી વાત, દરેક બાળકોના હોઠ પર ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના નામ

0
178

આજે દેશ પોતાના ત્રણ અમર શહીદોને યાદ કરી રહ્યો છે. વર્ષ 1931માં આજના જ દિવસે શહીદ-એ-આઝમ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોરની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. દેશની સ્વતંત્રતામાં મોટો ભાગ ભજવનાર ત્રણેય ક્રાંતિકારીઓની યાદમાં દેશ આજે શહીદ દિવસની ઉજવણી કરી રહ્યો છે.

બ્રિટિશ સરકારે 23 માર્ચે ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી આપી દીધી હતી. જ્યાં ફાંસી આપવામાં આવી હતી તે જગ્યા હવે પંજાબમાં છે. ભગતસિંહની શહાદત બાદથી દેશમાં સ્વતંત્રતા સંગ્રામની ચળવળ તેજ થઈ ગઈ હતી.

ત્રણેય ક્રાંતિકારીઓએ અત્યાચારી અંગ્રેજો સામે લડત આપી હતી. તેમણે ભારત માતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આજે પણ યુવાનો માટે પ્રેરણાના સૌથી મોટા સ્ત્રોત છે. આ ત્રણેય લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

પીએમ મોદીએ હૃદય સ્પર્શી વાત કહી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ દિવસ પર એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દરેક બાળકના હોઠ પર શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુના નામ છે. દેશ તેમનો ઋણી છે.

ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કે, ‘શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુએ સ્વતંત્રતા ચળવળને પોતાના વિચારો અને પ્રાણ સીંચીને જે ક્રાંતિભાવનો સંચાર કર્યો, એવું ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળ્યું. તેમની બહાદુરી અને દેશભક્તિ યુગો સુધી પ્રેરણાદાયી રહેશે. આજે શહીદ દિવસ પર હું કરોડો દેશવાસીઓ સાથે તેમને નમન કરું છું.’

CM યોગીએ શું કહ્યું?
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કર્યું, ‘મહાન ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુએ માતૃભૂમિની સેવામાં પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને, દેશના યુવાનોમાં નવી ઉર્જાનો સંચાર કરીને આઝાદીની અમર ગાથા લખી હતી. આજે તેમના શહીદ દિવસ પર તેમને નમ્ર શ્રદ્ધાંજલિ!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!