34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home બિઝનેસ Ukrain Russia War : ખનીજ તેલની વધી રહેલી કિંમતને ઘટાડવા સરકારની શું...

Ukrain Russia War : ખનીજ તેલની વધી રહેલી કિંમતને ઘટાડવા સરકારની શું છે રણનિતી

0

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ યથાવત રહેતાં ખનીજ તેલના વધી રહેલી કિંમતોની અસરને ઘટાડવા માટે સરકાર યોગ્ય પગલાં લેશે.

ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, રશિયા અને યુક્રેન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને લીધે ખનીજ તેલના વૈશ્વિક પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે, જેના પરિણામે ક્રૂડ ઓઈલ, ગેસ, ખાદ્યતેલ અને ખાતર સહિતની વૈશ્વિક કોમોડિટીના ભાવના ભારે વધારો થયો છે.
આથી ચોક્કસ દેશ ઉપર ખનીજ તેલ માટેનું અવલંબન ઘટાડવા અને તેનો પુરવઠો જાળવી રાખવા ભારતે આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના દેશો સહિત વિશ્વના વિવિધ સ્થળોએથી ખનીજ તેલની ખરીદીની નીતિ અપનાવી છે.
આ ઉપરાંત જરૂર જણાશે તો સરકાર ખનીજ તેલના અનામત જથ્થામાંથી કેટલોક જથ્થો મુક્ત કરીને ખનીજ તેલના ભાવ વધારાની અસરને ઘટાડવાનો પ્રયાસ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!