30.8 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines Jammu Kashmir : 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 સૈનિકો ઘાયલ; કુલગામમાં ભીષણ...

Jammu Kashmir : 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 સૈનિકો ઘાયલ; કુલગામમાં ભીષણ એન્કાઉન્ટર અને ગોળીબાર

0
118

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આજે સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના બેહીબાગ વિસ્તારના કદ્દર ગામમાં થયું હતું, જેમાં બંને તરફથી ભારે ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 5 આતંકીઓને ઠાર કર્યા છે. ફાયરિંગમાં સેનાના બે જવાન પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બાતમીદાર પાસેથી મળેલી માહિતી પર સ્થાનિક પોલીસની સાથે સુરક્ષા દળોએ આજે ​​સવારે વિસ્તારને ઘેરી લીધો હતો.

સુરક્ષા દળોએ આતંકવાદીઓને પડકાર્યા અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. જવાનોએ જવાબી કાર્યવાહી કરીને આતંકીઓને ઠાર કર્યા હતા. બાતમીદારે આ વિસ્તારમાં ઘણા આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી આપી હતી. આજના એન્કાઉન્ટર પહેલા, સુરક્ષા દળોએ ગઈકાલે કુપવાડા જિલ્લામાં એલઓસી નજીકના જંગલમાંથી શસ્ત્રો, દારૂગોળો અને માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો અને આતંકવાદી હુમલાનો ખતરો ઉભો કર્યો હતો. આ પછી સમગ્ર રાજ્યમાં સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!