દેશમાં દિન પ્રતિદિન ઓનલાઈન ટ્રાન્જેક્શનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે, ઓનલાઈન અને કેશલેશ ને પ્રાધ્યાન્ય આપવા માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિ થી વેપારીઓ માટે હવે દૈનિક વ્યવહારો વધારીને રૂ. 10 લાખ કરવામાં આવ્યા છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ-યુપીઆઈ પર વ્યક્તિ-થી-વેપારી વ્યવહારોની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ દિવસ કરી છે. આ ફેરફાર 15 સપ્ટેમ્બર એટલે કે, આજ થી અમલમાં આવશે. ખરીદી માટે મોટી ડિજિટલ ચુકવણીઓને સરળ અને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફેરફારો કરવામાં આવ્યા છે. પરંતુ વ્યક્તિ-થી-વ્યક્તિ ટ્રાન્સફર માટેની મર્યાદા પ્રતિ દિવસ 1 લાખ રૂપિયા પર યથાવત છે.






