અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાંથી ચૂંટાયેલા અને હાલ ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કાર્યરત પી.સી.બરંડા ના ફેસબૂક પેજ પર કમેંટ સેક્શન બંધ કરી દેવામાં આવતા સોશિયલ મીડિયામાં ચર્ચા અને અસંતોષ જોવા મળ્યો છે. મંત્રી પી.સી. બરંડા તેમના સત્તાવાર ફેસબૂક પેજ પર વિવિધ સરકારી કાર્યક્રમો, વિકાસ કામો અને જાહેર કાર્યક્રમોની માહિતી પોસ્ટ કરતા હોય છે. પરંતુ તાજેતરમાં કરવામાં આવેલી કેટલીક પોસ્ટમાં કમેંટ કરવાની સુવિધા બંધ રાખવામાં આવી છે, જેના કારણે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે સવાલો ઉઠાવ્યા છે.
સમગ્ર વાત ત્યારે સામે આવી કે, તેમણે લખ્યું કે, ફેસબૂક નું કમેંટ સેક્શન ઓપન કરો, લોકોના સવાલોના જવાબ આપો. હવે આ કમેંટ સમાચાર મીડિયાના સોશિયલ મીડિયા પર ધુળેટીના સમાચાર પ્રસિદ્ધ થયા હતા, જેમાં યુઝર્સ દ્વારા કમેંટ કરવામાં આવતા, સમગ્ર મામલો સામે આવ્યો હતો. હવે કમેંટ સેક્શન કેમ બંધ કરી દેવાયું છે, તેના પર યક્ષ પ્રશ્ન છે.
સોશિયલ મીડિયામાં ચર્ચા એ બાબત પર પણ થઈ રહી છે કે જન પ્રતિનિધિ તરીકે મંત્રીઓએ લોકોના પ્રતિસાદ અને પ્રશ્નો સાંભળવા માટે પ્લેટફોર્મ ખુલ્લું રાખવું જોઈએ. કમેંટ સેક્શન બંધ કરવું પારદર્શિતા અને જન સંવાદ માટે યોગ્ય નથી, તેવી પણ ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. હાલ સુધી મંત્રી તરફથી કમેંટ સેક્શન બંધ કરવાના મુદ્દે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. જોકે આ મુદ્દે સોશિયલ મીડિયામાં ચર્ચા વધુ તેગ બની રહી છે.



