33.1 C
Gujarat
Tuesday, July 28, 2026
Home રાજનીતિ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 2028ની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય દોહરાવ્યો

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 2028ની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય દોહરાવ્યો

0
5

બેંગલુરુ: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ વર્ષ 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી નહીં લડવાના પોતાના નિર્ણયને ફરી એકવાર સ્પષ્ટ કર્યો છે. રાજ્યના મંત્રી અને તેમના પુત્ર યતિન્દ્ર સિદ્ધારમૈયાએ જણાવ્યું કે સિદ્ધારમૈયા એક વખત કોઈ નિર્ણય લે તો તે બદલતા નથી અને 2028ની ચૂંટણીથી દૂર રહેવાનો તેમનો નિર્ણય અંતિમ છે.

આ નિવેદન બાદ કર્ણાટકના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. કોંગ્રેસમાં આગામી નેતૃત્વ કોણ સંભાળશે અને પાર્ટી કયા ચહેરાને આગળ કરશે તે અંગે અટકળો શરૂ થઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે, સિદ્ધારમૈયાના નિર્ણયથી રાજ્યની રાજનીતિમાં નવી પેઢીને તક મળી શકે છે.

કોંગ્રેસે જોકે સ્પષ્ટ કર્યું છે કે સિદ્ધારમૈયા સક્રિય રાજકારણમાં યથાવત રહેશે અને સંગઠનને મજબૂત બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવશે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!