31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

જામનગર : ટીબી વિભાગમાં કામ કરતા કરાર આધિરત કર્મચારીઓએ પડતર માંગણીને લઇને બાંયો ચઢાવી


આરોગ્ય વિભાગના કર્મચારીઓની હજુ પડતર માંગણીઓ સંતોષાઈ નથી ત્યારે હવે ટીબી વિભાગમાં કામ કરતા કરાર આધારિત કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. જામનગર જિલ્લામાં ફરજ બજાવતા ટીબી વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ પડતર માંગણીઓને લઇને હડતાળનો માર્ગ અપનાવ્યો છે

જામનગર જિલ્લા ક્ષય કેન્દ્ર ના કરાર બદ્ધ કર્મચારી તારીખ 20/9/2022 ના રોજ થી અચોક્કસ મુદત ની હડતાળ પર ઉતરી ગયા છે. કરાર આધારિત કર્મચારીઓની પડતર માંગણીનો હજુ સુધી કોઈ પણ નીવેડો નથી આવ્યો ન હોવાથી હડતાળનો માર્ગ પસંદ કર્યો છે. કરાર આધારિત કર્મચારીઓનું કહેવું છે કે, વર્ષ 2025 સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ટીબી નિર્મૂલન કાર્યક્રમની વાતો કરે છે, પણ કરાર આધારિત કર્મચારીઓ ની પડતર માંગણીઓ હજુ અધ્ધરતાલ છે તો કેવી રીતે આ બનશે. પૂજ્ય બાપૂની જન્મ જ્યંતિના દિવસથી ટીબી વિભાગમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ હડતાળ શરૂ કરી છે અને તેઓની માંગ સંતોષવામાં આવી તેવી ઉગ્ર માંગ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!