રંગોનો પર્વ એટલે હોળી-ધુળેટી, બે વર્ષ પછી એટલે કે, કોરોનાકાળ પછી શાળા-કોલેજમાં હોળી અને ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાજના નરોડામાં આવેલી એલ.એલ.એમ.ઇ. કેમ્પમાં ખાતે એપોલો ઇન્સ્ટિટ્યુટ એન્ડ ટેકનોલોજી, એપોલો ઇન્સ્ટિટ્યુટ ઓફ લો, એપોલો ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી તેમજ એ-વન ફાર્મસી કોલેજ ખાતે હોળી અને ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી.
નરોડા ખાતે આવેલ એસ.એન.એસ.ઇ. કેમ્પસની તમામ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસર દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ હોળીના રંગમાં ડીજેના તાલ માં તલ્લીન થઇ ને અનેરો આનંદ માણ્યો હતો. હોળીનાઆ અનેરા ઉત્સવને યાદગાર બનાવવા વિદ્યાર્થીઓએ સિગ્નેચર ડેની પણ ઉજવણી કરી હતી.જેમાં પ્રાકૃતિક રંગનો ઉપયોગ કરી ને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાયાવરણ જાણવાનીનો સંદેશો પાઠવ્યો.