29 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લી જિલ્લામાં લાશ મળવાનો સિલસિલો યથાવત, મોડાસાના મદાપુર ગામની સીમમાંથી લાશ મળતા ચકચાર


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી લાશ મળવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે ત્યારે મોડાસાના મદાપુર ગામની સીમમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 21 ડિસેમ્બરના રોજ બપોરના અરસામાં સ્થાનિક વ્યક્તિએ અહીં લાશ દેખતા પોલિસને જાણ કરી હતી, ત્યારબાદ સમી સાંજ સુધી પાણીમાંથી લાશ કાઢવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસાના મદાપુર ગામની સીમમાં કેશરપુરા કંપા તરફ જવાના ત્રણ રસ્તા પર વાઘામાં અજાણી વ્યક્તિની લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યુ હતુ કે, બપોરના અરસામાં અહીં લાશ હોવાનું માલુમ થયું હતું, ત્યારબાદ પોલિસ આવી હતી પરંતુ હદ ટાઉન લાગ છે કે, ગ્રામ્ય તેને લઇને પણ ચર્ચાઓ ચાલતી હતી, તો બીજી બાજુ મોડી સાંજ સુધી એટલે કે, 6 વાગ્ય સુધી લાશ બહાર કાઢવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં સવાલો ઉઠતા હતા કે, માણસની કોઈ જ કિંમત નથી, જો કોઈ પરિવારજ અહીં હોત તો આ કામગીરી ઝડપી બની હોત, પણ અજાણી વ્યક્તિની લાશ હોવાથી કોઈ જ કદર નથી.

Advertisement

Advertisement

સ્થાનિક લોકોએ એ પણ જણાવ્યું કે, લાશ નજીક થોડા અંતરે મેડિકલ વેસ્ટ નો જથ્થો પણ પડેલો જોવા મળ્યો હતો, તે કોણ ઠાલવી ગયું છે તેના પર લોકોએ સવાલો ઉઠાવ્યા હતા, બાયો મેડિકલ વેસ્ટના જથ્થાથી થોડેક દૂર આ લાશ જોવા મળી હતી, ત્યારે હવે અજાણી લાશને લઇને પોલિસ ક્યારે કાર્યવાહી કરશે તે એક સવાલ છે, હાલ તો લાશ પાણીમાં જ જૈસે સ્થે સ્થિતિમાં જોવા મળી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!