30.6 C
Gujarat
Friday, July 17, 2026
Home રાષ્ટ્રીય Joshimath Subsicence: જોશીમઠના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે, હવે આકાશમાંથી વરસશે ‘આફત’

Joshimath Subsicence: જોશીમઠના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે, હવે આકાશમાંથી વરસશે ‘આફત’

0
109

પહેલેથી જ ભૂસ્ખલન સામે ઝઝૂમી રહેલા ઉત્તરાખંડના જોશીમઠના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. હવામાન વિભાગે જોશીમઠ, ચમોલી અને પિથોરાગઢમાં 19, 20, 23 અને 24 જાન્યુઆરીએ વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે.

હવામાનશાસ્ત્રીઓના મતે આ ચાર દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થવાને કારણે રાજ્યમાં હવામાનની પેટર્નમાં ફેરફાર થવાની સંભાવના છે.

દેહરાદૂનના હવામાન કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહે જણાવ્યું હતું કે, “19 અને 20 જાન્યુઆરીએ વરસાદની સંભાવના છે, જ્યારે 23 અને 24 જાન્યુઆરીએ વરસાદની સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.” આવી સ્થિતિમાં જોશીમઠના આપત્તિગ્રસ્ત વિસ્તારમાં સરકાર, પ્રશાસન અને જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવું પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!