પેલેસ્ટાઈનના જેનિન કેમ્પમાં ગુરૂવારે ફાટી નીકળેલી હિંસાના પગલે ઈઝરાયેલની કાર્યવાહીમાં નવ લોકો માર્યા ગયા અનેક લોકો ઘાયલ થયા છે. જેનિનમાં શરણાર્થી શિબિરમાં અથડામણ દરમિયાન ઇઝરાયલી દળોએ ગોળીબાર કર્યા પછી ગુરુવારે એક વૃદ્ધ મહિલા સહિત નવ પેલેસ્ટિનિયનો માર્યા ગયા હતા, સીએનએનએ પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયને ટાંકીને અહેવાલ આપ્યો હતો.
પશ્ચિમ કાંઠાના શહેરમાં ઇઝરાયેલી સેના દ્વારા આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 29 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. દરમિયાન, પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ (પીસીઆર) અનુસાર, ઇઝરાયલી દળોએ પ્રથમ તો તબીબી કર્મચારીઓ માટે જેનિન કેમ્પ સુધી પહોંચવાનું અશક્ય બનાવ્યું, જ્યાં ચાર ઘાયલ લોકોની હાલત ગંભીર હતી.