31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અન્નુ કપૂર દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ, આ હતી ફરિયાદ


બોલિવૂડ એક્ટર અન્નુ કપૂરને છાતીમાં દુખાવાને કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે તેમની હાલત સ્થિર છે. હોસ્પિટલ પ્રશાસન અનુસાર, અન્નુ કપૂર બધા સાથે વાત કરી રહ્યા છે અને ગુરુવારે સાંજે ભોજન પણ લીધું છે. સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે છાતીમાં ભારેપણું હોવાની ફરિયાદ કરી.

મળતી માહિતી મુજબ, ડૉક્ટર સુશાંત અન્નુ કપૂરની કાર્ડિયોલોજીમાં સારવાર કરી રહ્યા છે. હાલ તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ટેસ્ટ રિપોર્ટ સાચો આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જણાવી દઈએ કે અન્નુ કપૂરે પોતાના કરિયરની શરૂઆત 1979માં કરી હતી. અન્નુ કપૂરને ફિલ્મ ‘વિકી ડોનર’ માટે ફિલ્મફેર અને નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 92.7 રેડિયો એફએમ પર ‘સુહાના સફર વિથ અન્નુ કપૂર’ શોમાં અન્નુ કપૂરને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!