બોલિવૂડ એક્ટર અન્નુ કપૂરને છાતીમાં દુખાવાને કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે તેમની હાલત સ્થિર છે. હોસ્પિટલ પ્રશાસન અનુસાર, અન્નુ કપૂર બધા સાથે વાત કરી રહ્યા છે અને ગુરુવારે સાંજે ભોજન પણ લીધું છે. સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે છાતીમાં ભારેપણું હોવાની ફરિયાદ કરી.
फ़िल्म अभिनेता अनु कपूर को आया हार्ट अटैक, देर रात दिल्ली के गंगा राम अस्पताल में भर्ती कराया गया #AnnuKapoor pic.twitter.com/9xbiim2To9
— Govind Pandey (@iGovindPandey) January 26, 2023
મળતી માહિતી મુજબ, ડૉક્ટર સુશાંત અન્નુ કપૂરની કાર્ડિયોલોજીમાં સારવાર કરી રહ્યા છે. હાલ તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ટેસ્ટ રિપોર્ટ સાચો આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જણાવી દઈએ કે અન્નુ કપૂરે પોતાના કરિયરની શરૂઆત 1979માં કરી હતી. અન્નુ કપૂરને ફિલ્મ ‘વિકી ડોનર’ માટે ફિલ્મફેર અને નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. 92.7 રેડિયો એફએમ પર ‘સુહાના સફર વિથ અન્નુ કપૂર’ શોમાં અન્નુ કપૂરને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
