31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

Peshawar blast: તાલિબાને લીધી મસ્જિદમાં બ્લાસ્ટની જવાબદારી, ઈસ્લામાબાદમાં હાઈ એલર્ટ


પાકિસ્તાનમાં પોલીસ હેડક્વાર્ટરની અંદર એક મસ્જિદમાં સોમવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા અને 150થી વધુ ઘાયલ થયા. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના પ્રવક્તા મોહમ્મદ આસિમે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે ઘાયલોને હજુ પણ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. ત્યાં હાજર લોકોનું કહેવું છે કે આ એક ફિદાયીન હુમલો હતો.

તાલિબાન કમાન્ડરે વિસ્ફોટની જવાબદારી લીધી
જો કે, પાકિસ્તાન તાલિબાન કમાન્ડરે મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની જવાબદારી લીધી હતી. પાકિસ્તાની તાલિબાનના કમાન્ડર સરબકાફ મોહમંદે મસ્જિદ પરના હુમલાની જવાબદારી સ્વીકારી છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ અનુસાર, અત્યાર સુધીમાં 32 પોલીસકર્મીઓના મોત થયા છે. 158 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જેમાંથી 66ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આ આત્મઘાતી હુમલા બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઈસ્લામાબાદ પોલીસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે કડક જાગરૂકતા માટે શહેરના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!