34 C
Ahmedabad
Thursday, May 16, 2024

બાપૂને સત સત નમન : મોડાસાના મહાદેવગ્રામ બાકરોલમાં મિની રાજઘાટ ખાતે બાપૂને શ્રદ્ધાંજલિ આપતા ગ્રામજનો


ગાંધી નિર્વાણ દિન ભારતભરમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે. સાથે સાથે બાંધીને શ્રદ્ધાંજલિ દિલ્હીના રાજઘાટ પછી અરવલ્લી જિલ્લાના મહાદેવ ગામ માં આવેલા મીની રાજઘાટ કે જ્યાં ગાંધીના નિકટના મહાદેવભાઇ દેસાઈ દ્વારા અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું હતું તેવા મીની રાજઘાટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકીય નેતાઓ અધિકારીઓ ને બાપુને શ્રદ્ધાંજલિ આપવાનો સમય પણ ના મળ્યો જ્યારે જૂજ સંખ્યામાં સ્કૂલના બાળકો સામાજિક કાર્યકરો દ્વારા વૈષ્ણવજન તો તેને રે કહીએ. રઘુપતિ રાઘવ રાજારામ અને શહીદોની યાદમાં બે મિનિટ મોન પાડી ગાંધી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સામાજિક કાર્યકર નિલેશ જોષી એ જણાવ્યું ગાંધી એ તો ભારતનું ઘરેણું છે જેમને પુરા વિશ્વને અહિંસા નામનું શસ્ત્ર આપી દુનિયાને લોકોને યુદ્ધ થી બચાવ્યા છે+આ કાર્યક્રમનું સંચાલન અમિત કવિ સ્કૂલના આચાર્ય રિતેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ વંચના પ્રાંત સંયોજક ચેતન્ય ભટ્ટ ગિરીશ પટેલ. સરપંચ પંકજસિંહ રાઠોડ સિદ્ધરાજ સિંહ રાઠોડ, સુરેશ સિંહ રાઠોડ અને ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!