29 C
Ahmedabad
Thursday, March 28, 2024

ખેડૂતને મોત સામે દેખાયું : વન વિભાગ નિંદ્રાધીન….ખેડૂતોના માથે મોત ભમી રહ્યું છે,ગોખરવાના ખેતરમાં ખેડૂત સામે દીપડો આવી ગયો


મોડાસા પંથકમાં દીપડાના પરિવારે ધામા નાખ્યા, દીપડો માનવભક્ષી બની કોઈનો જીવ લે તે પહેલા પાંજરે પુરવામાં આવેની પ્રબળ માંગ
દીપડાની દહેશત વચ્ચે ખેડૂતો જીવના જોખમે ખેતરમાં ઉભા પાકને પિયત કરવા મજબુર

Advertisement

અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં અનેક વન્ય જીવો વસવાટ કરી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી બોલુન્દ્રાના ડુંગર વિસ્તારથી લઇ ગઢડાના જંગલમાં દીપડાનો પરિવાર લટાર મારવાની સાથે ખોરાકની શોધમાં પશુનું મારણ કરતા સમગ્ર પંથકમાં ખેડૂતો સહીત લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે વન વિભાગ તંત્ર દીપડાને પાંજરે પુરવામાં નિષ્ફ્ળ રહેતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે દીપડો દેખાય તે વિસ્તારમાં પાંજરું મૂકી સંતોષ માની રહ્યું છે ગોખરવા ગામના પૂર્વ સરપંચ ખેતરમાં પાકને પિયત કરી રહ્યા હતા અને ઘઉંના ખેતરમાં સામે દીપડો જોવા મળતા ફફડી ઉઠ્યા હતા

Advertisement

મોડાસા તાલુકાના ગોખરવા ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ પરમાર શનિવારે સાંજના સુમારે તેમના ખેતરમાં પાકને પિયત કરવા ગયા હતા અને સામે ઘઉંના પાકમાં દીપડો સંતાઈ રહી શિકારની શોધમાં જોવા મળતા દિનેશભાઈ પરમાર દીપડાને જોઈ ફફડી ઉઠ્યા હતા અને ખેતરમાં પિયત બંધ કરી સુરક્ષિત સ્થળ પર ઉભા રહી ગયા હતા ઘઉંના ખેતરમાં છુપાઈ રહેલા દીપડાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો ખેતરમાં દીપડો દેખાતા ખેડૂતો ઘર તરફ દોટ મૂકી હતી ગોખરવા પંથકમાં દીપડાએ ધામાં નાખતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે દીપડાની દહેશતથી સમગ્ર પંથકમાં લોકો થર થર કાંપી રહ્યા છે વનવિભાગ સતર્કતા દાખવી દીપડાને પાંજરે પુરે તેવી લોક માંગ પ્રબળ બની છે દીપડાને પાંજરે પુરવામાં વન વિભાગની ઉદાસીનતા સામે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!