અરવલ્લી ની ગિરિમાળાઓ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સીમાડાઓ,રસ્તાઓની આસપાસ અને ખેતરોના શેઢા ઉપર આવેલા કેસુડાના ઝાડ પર કેસરિયા ફૂલો આવવાની શરૂઆત થતાની સાથેજ જાણે અરવલ્લી ની ગિરિમાળાઓ અને કેટલાક રસ્તાઓ એ કેસરિયો રંગ ધારણ કર્યો હોય તેવો અદભુત નજારો જોવા મળી રહ્યો છે
“કેસુડા ને કોઈ સુગંધ નથી પણ તેની નજાકતતા પોપટના ચાંચ જેવો આકાર અને માંસના લોચા જેવો લાલચટ્ટક રંગ,કામણગારો અને નજાકતતા ના પર્યાય સમા કેસુડાના ફૂલનું સૌંદર્યની દ્રષ્ટિએ,અને આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખુબ મહત્વ છે.હોળી ટાણે ખીલતા વસંતના પુષ્પો આદિવાસીઓ માટે લોકપ્રિય ગણાય છે હોળી પર્વ લોકો કેસુડાના ફૂલોને ઉકાળી તેનો રંગ બનાવી હોળી-ધુળેટીનો ઉત્સવ મનાવે છે