વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા પછી રહી રહી ને કોંગ્રેસ સક્રિય થઇ છે હવે લોકસભાની ચૂંટણી નજીક માં છે ત્યારે કોંગ્રેસ દ્વારા મોડાસા ખાતે જય ભારત સત્યાગ્રહ સંમેલન યોજાયું જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ,વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા જેમાં અમિત ચાવડા એ સંગઠન ને મજબૂત કરવા આહવાન કર્યું હતું
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદિશ ઠાકોરે જણાવ્યું હતું કે આજથી મોડાસા ના વિશ્વકર્મા મંદિર થી કોંગ્રેસે લોકસભા ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે વધુમાં તેઓએ રાહુલ ગાંધી પર પુરણેશ મોદી દ્વારા કેસ કરાયો એ બાબતે હર્ષ સંઘવી પર તીખા વેંણ બોલી નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે રાહુલ ગાંધી પર સુરત માં કેમ કેસ થયો ? કારણકે હર્ષ સંઘવી સુરત ના છે અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના પહેલા ખોળા ના કહી ને ચાબખા માર્યા હતા
વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આ સરકાર આરક્ષણ ના આંકડા જાહેર કરતી નથી જો જાહેર કરે તો સાચી હકીકત ખબર પડે કે ખરેખર ઓબીસી અનામત કેટલા ટકા છે એમ જણાવી દરેક ને લોકસભા ની ચૂંટણી માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું
આ કાર્યક્રમમાં બાયડ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા,મોડાસા પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર,ભિલોડાના પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્ર પારઘી ,અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહીત પ્રદેશ,જિલ્લા અને તાલુકા કોંગ્રેસ સમિતિ ના અગ્રણી હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
