31.7 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines ઈઝરાયેલ-પેલેસ્ટાઈનમાં ભીષણ ગોળીબાર, અત્યાર સુધીમાં 900 ઈઝરાયેલ સહિત 1600ના મોત; હમાસના સેંકડો...

ઈઝરાયેલ-પેલેસ્ટાઈનમાં ભીષણ ગોળીબાર, અત્યાર સુધીમાં 900 ઈઝરાયેલ સહિત 1600ના મોત; હમાસના સેંકડો ઠેકાણાઓને નષ્ટ

0
187

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધનો ચોથો દિવસ ચાલી રહ્યો છે. બંને તરફથી અત્યાર સુધીમાં 1600 લોકોના મોત થયા છે. ઈઝરાયેલની વાત કરીએ તો તેના 900 લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલના સૈનિકો સતત હમાસના લડવૈયાઓને નિશાન બનાવી રહ્યા છે. ઇઝરાયેલની વાયુસેનાએ હમાસના સેંકડો લક્ષ્યાંકો પર હુમલો કર્યો છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેઓ બદલો લેશે. હમાસને ઈઝરાયેલ પર હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે. તે જ સમયે, ભારત સહિત ઘણા દેશોએ ઇઝરાયેલને સમર્થન આપ્યું છે. પરંતુ દિલ્હીએ પહેલાથી જ 14 ઓક્ટોબર સુધી તેલ અવીવ વચ્ચેની તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. પરિસ્થિતિ સતત વણસી રહી છે.

બંને પક્ષના 5500 લોકો ઘાયલ
મૃત્યુઆંક વધી રહ્યો છે. ઈઝરાયેલની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 700 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. બંને પક્ષના લગભગ 5500 લોકો ઘાયલ થયા છે. જેમાં ઈઝરાયેલના 2600 અને પેલેસ્ટાઈનના 2900 લોકો છે. હમાસ દ્વારા સેંકડો ઈઝરાયેલ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. ઈઝરાયેલ ગાઝા પટ્ટી પર મોટો હુમલો કરી રહ્યું છે. અત્યારે બંને વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.

તે જ સમયે, ઇઝરાયેલ પોલીસ દ્વારા X પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે પોલીસે નેટીવોટની બહાર બે આતંકીઓને ઠાર કર્યા છે. બંને આતંકીઓ પાસે હથિયાર હતા. પોલીસ તેમના નાગરિકોને બચાવવા માટે સતત આગળની હરોળ પર કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!