21 C
Ahmedabad
Tuesday, November 28, 2023

અરવલ્લી ARTO કચેરમાં અચાનક સન્નાટો, દલાલો ગાયબ થઈ ગયા !!! અનેક ચર્ચાઓ ચાલી… कुछ तो लोचा है….


Advertisement

રાજ્ય સરકાર દ્વારા આર.ટી. ની કામગીરીમાં સમયાંતરે બદલાવો કરતી હોય છે, મોટાભાગની સેવાઓ ઓનલાઈન કરી દીધી છે, જોકે આર.ટી.ઓ. વિભાગની કામગીરી અને આર.ટી.ઓ સમયમાંતરે ચર્ચાઓમાં આવતી હોય છે. આવી જ એક આર.ટી.ઓ. અરવલ્લી જિલ્લાની છે કે, જ્યાં સવારથી જ ભારે ભીડ અરજદારોની અને દલાલોની રહેતી હોય છે પણ 21 નવેમ્બર 2021 ને મંગળવારના રોજ અચાનક સમગ્ર જિલ્લામાં ચર્ચાઓ ચાલી કે, આર.ટી.ઓ. કચેરીમાં ચેકિંગ છે, જોકે ચેકિંગ કે તપાસ શું હતું તે ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ આર.ટી.ઓ. કચેરીમાં તપાસ કરતા અહીં સન્નાટો વ્યાપી ગયો હતો, આ સન્નાટો એક વાત તો ચોક્કસ કહી જાય છે કે, કંઈક તો લોચો છે.

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લા આર.ટી.ઓ. કચેરીમાં થોડા વર્ષો પહેલા ગાંધીનગર થી ઉચ્ચ અધિકારીઓની ઓચિંતી તપાસ આવી હતી, જેમાં ઘણાં એજન્ટ હોવાનું સામે આવ્યું હતું અને પોલિસ કાર્યવાહી પણ થઈ હતી. ફરીથી વર્ષ 2023માં દિવાળી નવા વર્ષની શરૂઆતમાં જ આવી જ હલચલ જોવા મળતા અનેક ચર્ચાઓ ચાલી હતી. અહીં કામ કરતા ચોકીદાર કે, આઉટસોર્સિંગ કર્મચારી કે પછી અધિકારીઓ કે કર્મચારીઓ કંઈપણ કહેવા તૈયાર નહોતા. તમામના મોંઢે થી એક જ જવાબ હતો કે, કંઈ થયું નથી.

Advertisement

Advertisement

સામાન્ય રીતે આર.ટી.ઓ. કચેરીમાં સવારથી લઈને બપોર સુધી ભારી ભીડ જોવા મળતી હોય છે, જોકે મંગળવારનો દિવસ અહીં સન્નાટો લઇને આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. અધિકારીઓની તપાસ આવી છે, આવી ચર્ચાઓથી સમગ્ર આર.ટી.ઓ. કચેરીના કંપાઉન્ડમાંથી દલાલો ગાયબ થઈ ગયા હોવાની વાતો વહેતી થઈ હતી. ત્યારે એક વાત તો ચોક્કસ છે કે, કંઈક તો થયું છે…

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!