37 C
Gujarat
Tuesday, July 14, 2026
Home HeadLines Big Breaking : જૂનાગઢ પંથકમાં 3.2ની તીવ્રતા વાળા ભૂકંપથી ધરા ધ્રુજી, લોકો...

Big Breaking : જૂનાગઢ પંથકમાં 3.2ની તીવ્રતા વાળા ભૂકંપથી ધરા ધ્રુજી, લોકો ઘરની બહાર દોડ્યા

0
131

 

તાલાલા પંથકમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ                              

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આચંકાઓ આવી રહ્યા છે સમયાંતરે ગુજરાતની ધરા ધ્રુજી રહી છે કચ્છ ત્યારબાદ રાજકોટ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ જુનાગઢ પંથકની ધરતી કંપન અનુભવતા ધ્રૂજી ઉઠી હતી જૂનાગઢ પંથકના તાલાલા સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આચંકાનો અનુભવ લોકોએ કર્યો હતો           

પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢ જીલ્લામાં સાંજના 5:33 વાગ્યાના સુમારે ધરાની ધ્રુજારી લોકોએ અનુભવી હતી ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલા પંથકમાં હોવાનું અને રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.2ની માપવામાં આવી હતી કેટલાક વિસ્તારમાં ધરતીકંપના કંપનથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ઘરમાં પંખા સહિત વાસણો રીતસરના હાલક ડોલક થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!