27.9 C
Gujarat
Sunday, August 23, 2026
Home ગુજરાત પંચમહાલ : એમજીવીસીએલની વીજલાઈનો પર જંગલી વનસ્પતિઓની વેલ દુર કરવાની જાગૃત નાગરિકોની...

પંચમહાલ : એમજીવીસીએલની વીજલાઈનો પર જંગલી વનસ્પતિઓની વેલ દુર કરવાની જાગૃત નાગરિકોની માંગ

0
105

શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરાનગરપાલિકાના પરા વિસ્તાર તેમજગ્રામીણ વિસ્તારોમાથી પસાર થતા વીજથાંભલાઓ પર જંગલી વનસ્પતિઓનુ સામ્રાજ્ય છવાઈ ગયુ છે.ચોમાસામા ઉગી નીકળતી જંગલી વનસ્પતિઓના વેલા વીજથાંબલા બાંધવામા આવતા તાર અથવા થાંબલે વીટંળાઈ જાય છે છેક જીવંત તાર સુધી પહોચી જાય છે. ત્યારે એમજીવીએલ તંત્ર દ્વારા આ જંગલી વનસ્પતિ દુર કરવામા આવે તેવી જાગૃત નાગરિકોની માંગ છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી એમજીવીસીએલની વીજ લાઈનો પર જંગલી વનસ્પતિઓનુ સામાજ્ય છવાયેલુ જોવા મળી રહયુ છે.હાલમા ચોમાસાની સીઝન વિદાય લેવા જઈ રહી છે. ત્યારે શહેરાનગરના પરા વિસ્તાર તેમજ શહેરાના ગ્રામીણ વિસ્તારોમા કેટલીક જગ્યાઓ પર વીજલાઈનો પસાર થાય છે.તેના પણ જંગલી વનસ્પતિઓના વેલાઓ જોવા મળી રહ્યા છે. જીવંત વીજ વાયર પર વેલાઓ વીંટાયેલા જોવા મળી રહ્યા છે.આ વીજ વેલાને કારણે ઘણીવાર તો ફોલ્ટ થવાની પણ શંકા સેવાઈ રહી છે. શહેરાનગરથી નાડા રોડ પર જતા સલામપુરા પાણીની ટાંકી પાસે બે વીજથાંબલાઓ પર જંગલી વનસ્પતિઓનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છેં. આતો માત્ર એક ઉદાહરણ કહી શકાય આવુ ઘણી જગ્યાએ જોવા મળતુ હશે. વીજ વિભાગ દ્વારા આ મામલે સર્વે કરીને આવી જંગલી વનસ્પતિઓ જે વીજથાંભલા પરથી દુર કરવી જરુરી છે. ઘણીવાર ખેડુતોના ખેતરોમાંથી પણ વીજલાઈનો પસાર થાય છે. ત્યારે આ મામલે ખેડુતે પણ વેલાઓ વીજથાંબલાઓ પર ચઢી જાય નહી તેનુ પણ ધ્યાન રાખવુ જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!