24 C
Ahmedabad
Tuesday, January 21, 2025

ભયંકર અકસ્માત : ખાનગી કંપનીની બસ નાળામાં પડતા આઠના મોત, અનેક ઘાયલ


બઠિંડા : પંજાબના બઠિંડાના તલવંડી સાબો રોડ પર શુક્રવારે ભયંકર સડક દુર્ઘટના સર્જાઇ હતી. ખાનગી કંપનીની બસ અનિયંત્રીત થઇને લસાડા નાળામાં પડી જતાં આઠ લોકોના મોત થયા હતાં. બસમાં સવાર અનેક મુસાફરો ઘાયલ થયા હતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

Advertisement

બઠિંડાના કોટશમીર રોડ પર બસ પુલ પરથી પસાર થતાં સમયે રેલીંગ તોડીને નીચે પડી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર તેમજ એનડીઆરએફ સહિત રાહત ટીમ ઘટના સ્થળે પહોચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળે પહોચેલી પોલીસે કહ્યું હતું કે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. તેમજ આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પંજાબના બઠિંડામાં એક બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુના સમાચારથી મને ઊંડા દુખની લાગણી થઇ છે. મૃત્યુ પામનારના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું અને ઇશ્વરને પ્રાર્થના કરુ છું કે આ દુર્ધટનામાં ઘાયલ થયેલા તમામ લોકો વહેલાસર સ્વસ્થ બને.

Advertisement

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે બઠિંડાના તલવંડી સાબો રોડ પર ખાનગી બસ ના અકસ્માતની દુખદાઇ ખબર મળી હતી. વહીવટી ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ છે અને ઘાયલોને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યાં છે. હું પરમાત્મા પાસે દિવંગત આત્મીની શાંતિ અને ઘાયલો વહેલાસર સ્વસ્થ્ય બને તેવી પ્રાર્થના કરુ છું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!