ગોધરા,
દક્ષિણ ભારતના જાણિતા ફિલ્મ દિગ્દર્શક એસ.શકંરે બનાવેલી અને 2001માં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ નાયક – ધ રિયલ હિરો સુપર ડુપર હીટ સાબિત થયેલી.પત્રકારનો રોલ ભજવતા શિવાજીરાવ(અનિલકપુરને) એક દિવસ માટે બલરાજ ચૌહાણ (અમરીશપુરી) મુખ્યમંત્રી બનવાની ઓફર કરે છે.એક દિવસ માટે મુખ્યમંત્રી બની જતા શિવાજી રાવ સરકારી તંત્રના વિવિધ વિભાગોમાં ચાલતી પોલમપોલ અને ક્ષતિઓને બહાર લાવે છે. જોકે રીલ લાઈફમા આવુ શક્ય બનતુ હોય છે પણ રીયલ લાઈફમા આવુ કરનારા નેતાઓ કે અધિકારીઓ બહુ ઓછા હોય છે.પણ પંચમહાલ જીલ્લાના પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ ખરા અર્થમા નાયક ફિલ્મના અનિલકપુર વાળી કરી નાખી.ગોધરા શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં શહેરી અને ગ્રામ્યના રેશનકાર્ડ ધારકોના અરજદારોને પડતી મુશ્કેલી જાણી જાતે જ મામલતદાર કચેરી ખાતે વેશ પલટો કરીને પહોચી ગયા.રેશનકાર્ડ ધારકોને સાથે રાખીને સ્ટીંગ ઓપરેશન કરતા અનેક ક્ષતિઓ બહાર આવતા જવાબદાર અધિકારીઓ,કર્મચારીઓ,સ્ટેમ્પ વેન્ડર,પીટીશન લાઈટર સામે કાર્યવાહી હાથ ધરી છે.
વાત જાણે એમ છે કે ગોધરા શહેરમા આવેલી મામલતદાર કચેરી રેશનકાર્ડ ધારકોને પડતી મુશ્કેલીઓની જાણ થતા ખુદ જીલ્લા પુરવઠા અધિકારી હરેશ મકવાણાએ વેશ પલટો કરાવાનુ નક્કી કર્યુ,સામાન્ય રીતે કોઈ અધિકારી હોય તે આવુ કરતા નથી પણ પુરવઠા અધિકારીએ ધોતી અને માથે ટોપીપહેરી ગળે રુમાલ વીટીને ગ્રામીણ પરિવેશ ધારણ કર્યો અને મામલતદાર કચેરીમા ગયા,સાથે તેમણે પાચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખીને સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યુ. જે દરમિયાન મામલતદાર કચેરીમાં ચાલતી ક્ષતિ બહાર આવી હતી,તેમની તપાસમા બહાર આવ્યુ હતુ કે જે સ્ટેમ્પ વેન્ડર બેસે છે ત્યા 50 રૂપિયાન સ્ટેમ્પના 60 રૂપિયા, 100 રૂપિયાના સ્ટેમ્પના 120 રૂપિયા લેવામા આવતા હતા.રેશનકાર્ડના 2થી 9ના ફોર્મ માટે કોઈ એફિડેવીટ કરવાનુ આવતુ નથી છતા એફિડેવીટ કરાવે છે. તેને એપ્રુવલ કરે છે. સ્ટેમ્પ વેન્ડર દ્વારા તેના 150 રૂપિયા લેવામા આવે છે. એટીવીટીમાં ફોટા પાડવાના 20 રૂપિયા તેમજ એફિડેવીટના ફોર્મ ભરવાના 20 રૂપિયા અલગથી લેવામા આવે છે. એફીડેવીટ કરવાનુ ન હોવા છતા અરજદારને 250 રૂપિયા ખર્ચવાના થાય છે. વગરકામના એફીડેવિટના કારણે આર્થિક બોજો પડે છે. નવીન રેશન કાર્ડમા અને રેશનકાર્ડના વિભાજનમાં 20 રૂપિયાનુ ચલણ લેવાની કોઈ જોગવાઈ નથી હોવા છતા ચલણ લેવામા આવે છે. ડુપ્લીકેટ રેશનકાર્ડ માટે રોકડેથી લેવાના હોય છતા બેંકમા ચલણ ભરાવીને રજુ કરવામા આવે છે. આમ એક દિવસમા રેશનકાર્ડનુ કામ થતુ નથી તે તપાસમા બહાર આવ્યુ હતુ વધુમા અધિકારી દ્વારા મામલતદાર ગોધરા શહેર અને ગોધરા ગ્રામ્ય ખાતેથી ફોર્મ 2થી 9 માટે જે એફિડેવીટ કરવાની આવે છે. તે છેલ્લા એક વર્ષની અરજી કબજે કરીને જવાબદાર અધિકારી ,કર્મચારીઓ, તેમજ સ્ટેમ્પ વેન્ડર,તેમજ પીટીશન રાઈટરો સામે કાર્યવાહી કરવામા આવી છે. જેના કારણે ફફડાટ પણ વ્યાપી ગયો છે.
અત્રે નોધનીય છે કે પંચમહાલ જીલ્લાના પુરવઠા અધિકારી તરીકે હરેશ મકવાણાએ ચાર્જ લીધા બાદ તેમની આગવી અને નિષ્પક્ષ વહીવટી કામગીરીથી સારી એવી લોકચાહના મેળવી છે. સરકારી અનાજને બારોબાર વગે કરનારાઓને કાયદાના પાઠ ભણાવી દીધા બાદ છેવાડા વિસ્તારમાં રહેતા જરુરિયાત મંદ લાભાર્થી સુધી અનાજનો પુરવઠો પુરો મળે તે દિશામા કરેલા તેમના પ્રયત્નો ખુબ પ્રસંશાને પાત્ર છે.તેમને ફરી એકવાર તેમની વહીવહી કુશળતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે ત્યારે આવી કામગીરી તંત્રના અન્ય વિભાગમા કામ કરતા અધિકારીએ લે તે ઈચ્છીનીય છે.