અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રીનાથ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી ના નવિન ભવનનો ઉદઘાટન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો… મોડાસા ના કલ્યાણ ચોક વિસ્તારમાં તૈયાર થયેલા લોકર સાથેના આધુનિક ભવને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું…આ પ્રસંગે સહકાર ક્ષેત્ર ના આગેવાન મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.. આ સાથે જ મંડળીના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.. રજન જ્યંતિ કાર્યક્રમ મોડાસાના ભામાશા હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.. મહેશભાઈએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રીએ સહાકારથી સમૃદ્ધિ ની શરૂઆત કરી છે, ત્યારે મંડળીએમાં લોકરની મંજૂરી આપતા, તેમણે સરકારનો આભાર માન્યો હતો.





