31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ગુજરાત : જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, સરકારે ફીમાં કર્યો 10 ગણો વધારો


ગુજરાત સરકારે જન્મ અને મરણની નોંધણી ફીમાં વધારાનો 27 ફેબ્રુઆરીથી અમલ કરી દીધો છે. હવે જનતાને આ સેવાનો લાભ લેવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે. અગાઉ મરણનો દાખલો મેળવવા માટે 5 રૂપિયા ફી હતી, જેને વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે જન્મના દાખલાની ફી 10 રૂપિયા હતી, જેને વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. જેની સીધી અસર આમ જનતા પર પડશે.

મરણની નોંધણી માટે 30 દિવસની સમય મર્યાદા
ગુજરાત સરકારે ફી વધારાની સાથે જન્મ મરણની નોંધણીની સમય મર્યાદા નક્કી કરી દીધી છે. હવે તમારે જન્મ કે મરણની નોંધણી 30 દિવસમાં કરાવવાની રહેશે. જો 30 દિવસ પછી નોંધણી કરાવશો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. પહેલાં લેટ ફી ફક્ત 10 રૂપિયા હતી, જેને વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જન્મ કે મરણ નોંધણીમાં એક વર્ષથી વધુ મોડું થાય છે તો 100 રૂપિયા ફી ચૂકવવી પડશે, આ ઉપરાંત ફરિયાત જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મેળવવી પડશે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ખોટી માહિતી આપનારને રૂ. 50થી માંડીને રૂ.100 સુધીનો દંડ
જો કોઈ વ્યક્તિ જન્મ કે મરણની નોંધણી વખતે ખોટી માહિતી આપશે તો તેને 50 રૂપિયાથી માંડીને 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. હવેથી જન્મ-મરણના પ્રમાણપત્રો ઈલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે, અને અગાઉ વપરાતો ‘નકલ’ શબ્દ હવે ‘પ્રમાણપત્ર’ તરીકે ઓળખાશે. આ ફેરફાર પ્રમાણપત્રોને વધુ અધિકૃત અને આધુનિક બનાવવાનો પ્રયાસ છે. આ નિયમોનો હેતુ સમયસર જન્મ અને મરણની નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.

સુધારેલ જન્મ-મરણ વિલંબ નોંધણી ફી (10 ગણો વધારો ):-
(1) મોડી નોંધણી નિયત સમયમર્યાદા બહાર પરંતુ 30 દિવસની અંદર :- 20/-
(2)30 દિવસથી ઉપર પરંતુ 1 વર્ષની અંદર :- 50/-
(3) 1 વર્ષથી ઉપરના બનાવ માટે :- 100/-


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!