ઓડિસાના પુરીમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા દરમિયાન શ્રી ગુડિચા મંદિરની પાસે આજે સવારે થયેલી ભાગદોડમાં બે મહિલા સહિત ત્રણ શ્રધ્ધાળુઓના મૃત્યુ થયા છે અને 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે.
ઓડિસાના DGP એ જણાવ્યું હતું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.ઘાયલોમાં 6ની હાલત ગંભીર છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે. અને ભાગદોડની તપાસ કરવામાં આવી રહી છે.માનવામાં આવે છે કે મૃત્યુ પામેલા ત્રણ જણા નજીકના ખુર્દા જિલ્લાના રહેવાસી હતા અને રથયાત્રા માટે પુરી આવ્યાં હતાં.
