31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી રેવન્યુ માં મીઠી વાતો કરતા ગોળાકાર અધિકારીને લઇને રોષ, નોંધ નો ખેલ….!!!


અંકિત ચૌહાણ-જય અમીન
અરવલ્લી જિલ્લામાં હવ ભ્રષ્ટાચાર ટેકરી, ડુંગરી પર નહીં હિમાલય સુધી પહોંચી ગયો છે. ભ્રષ્ટ બાબુઓના રૂપિયા સાથેના લગાવને દૂર કરવાની એવી કોઈ લગામ નથી, જેને કારણે અધિકારીઓ બેફામ બન્યા છે. અરવલ્લી જિલ્લામાં એક રેવન્યુ વિભાગમાં ગોળાકાર અધિકારીની બૂમો ઉઠવા પામી છે, જે નોંધ પાડવાને લઇને ચર્ચાઓમાં આવ્યો છે. ટૂંક સમયમાં જાગૃત અરજદારો રોષ વ્યક્ત કરે તો નવાઈ નહીં.

દિવાળી સમયે ગરાકી નહીં, તેવી વાતો કરતા અધિકારીઓ હવે નોંધ નામંજૂર થશે તેવી ગર્ભિત વાતો કરતા, અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે. ગોળાકાર સ્વભાવે મીઠાશભરી વાતો કરીને મૂળિયા ઊંડો સુધી દબાવી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે પણ આવા ભ્રષ્ટાચારનો અમૃતરસ ચાખનાર હવે અમૃતરસની દુકાનો ચલાવતા થઈ ગયા છે. સરકાર લાખો રૂપિયાનો પગાર આપે છે પણ આવા ભ્રષ્ટાચાર અધિકારીઓને જાણે કોઈ ધરો જ ન હોય, તેવું સ્પષ્ટ લાગે છે..


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!