દેશમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,184 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6,554 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 104 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,24,20,120 દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 44,488 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 8,73,974 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં 77.60 કરોડ લોકોના કોરોનાના ટેસ્ટ કરાયા છે.
કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 18,23,329 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 179.53 કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચુક્યા છે. કોરોના રસીકરણ વધવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે. એટલે સમયસર રસીકરણ ખૂબ જરૂરી છે.