ઓર્ગેનાઈઝેશન (EPFO)ની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ની બેઠક ગુવાહાટીમાં યોજાઇ હતી. આ બે દિવસીય બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડ (PF)ના વ્યાજ સહિત અનેક દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. તેમાં રાખવાનો નિર્ણય લઈ શકે છે. જેમાં અહેવાલો અનુસાર, જો વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો તે 8.35 થી 8.45 જેટલો ઘટાડો હશે .
ધનસુ સ્ટોક રૂ. 3 થી 3000 સુધી પહોંચ્યો, 2 વર્ષમાં જબરદસ્ત વળતર આપ્યું હાલમાં સીબીટીની નજીકના એક સૂત્રનું કહેવું છે કે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે શેરબજારો પર તેની ખૂબ જ ભયાનક અસર થઈ છે. ત્યારે આવી સ્થિતિમાં, નાણાકીય વર્ષ 2021-22 માટે પીએફના વ્યાજ દરો સ્થિર રાખી શકાય છે.
100 કરોડ સિનિયર સિટીઝન ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે આ બેઠકમાં EPFO પાસે પડેલી દાવા વગરની રકમમાંથી 100 કરોડ રૂપિયા વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે. ત્યારે નાણા મંત્રાલય દ્વારા 2015માં જારી કરાયેલ નોટિફિકેશન મુજબ, EPF, PPF અને અન્ય બચત યોજનાઓમાં પડેલી દાવા વગરની રકમ સાત વર્ષ પછી વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાં ટ્રાન્સફર કરી શકશે.