આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકાર દ્વારા ભરતીઓનો દોર શરૂ કર્યો હોય તેવું લાગે છે. શિક્ષણ વિભાગમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભરતી કરવાની શરૂ થઇ છે તો બીજી બાજી ટીચર એલિજિબિલિટી ટેસ્ટ માટે પણ ફોર્મ ભરાવાની શરૂઆત થવાની છે હવે વનવિભાગમાં ભરતીના સામાચાર આવ્યા છે. રાજ્ય સરકાર આગામી નવેમ્બર મહિનાથી વનવિભાગમાં ભરતી કરવાની જાહેરાત કરી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પુસ્તકો ખરીદી કરવા માટેનું એકમાત્ર સ્થળ એટલે આર્યન લાયબ્રેરી, મોડાસા
Advertisement
રાજ્યના વનવિભાગમાં રાજ્ય સરકારે ખાલી પડેલ વનરક્ષક અને બીટગાર્ડની 823 જગ્યાઓ પર સીધી ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 1 નવેમ્બર 2022 થી 15 નવેમ્બર 2022 સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, આ વખતે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગૂ કરવામાં આવનાર છે. વનવિભાગમાં શરૂ થનાર ભરતી પ્રક્રિયા માટે આગામી દિવસોમાં જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે.