અરવલ્લી : આનંદપુરા કંપામાં તીર્થ ધામ પીરાણાના ગાદીપતિ સંતશ્રી જ્ઞાનેશ્વર મહારાજની ભવ્ય શોભાયાત્રા યોજાઈ,માનવ મહેરામણ ઉમટયું
મોડાસા નજીક આવેલા આનંદપુરા કંપા ગામે ધર્મ જાગરણ અભિયાન અંતર્ગત ભવ્યાતિભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જેના ભાગ રૂપે આજે સવારે 10 કલાકે મોડાસા વિભાગના પ્રેરણા પીઠ કાશીનગરી તીર્થ ધામ પીરાણાના ગાદીપતિ સંતશ્રી પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર મહારાજની બેન્ડ અને બગી સાથે ગ્રામજનો અને ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં માનવ મહેરામણ ઉમટયું હતું





