ભિલોડામાં નવમા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ભિલોડા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ જન સેવા સંધ સંચાલિત એન.આર.એ.વિદ્યાલય પરીસર ખાતે રાખવામાં આવેલ હતો. ભિલોડા મામલતદાર ઝેડ.વી.પટેલ,
કેવલભાઈ જોશિયારા, મંત્રી આદિજાતિ વિકાસ મોરચો, મુકેશભાઈ ત્રિવેદી, સરપંચ – ભિલોડા ગ્રામ પંચાયત,મનોજભાઈ પટેલ – ઉપ પ્રમુખ,જિલ્લા ભાજપા સંગઠન અરવલ્લી,ભિલોડા જન સેવા સંધ સંચાલક મંડળ,ટ્રસ્ટી ગિરીશભાઈ ઉપાધ્યાય,રોહિતભાઈ ત્રિવેદી, પદાધિકારીઓ,એન.એ.ડામોર, ટી.પી.ઓ. ભિલોડા,અધિકારી ગણ,હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ,સ્ટાફ પરિવાર કુલ મળી ૭૦૦ થી વધુ વ્યકિતઓ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી





