દેશ અને દુનિયાભરમાં આજે જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે નંદ ઘેર આનંદ ભર્યો જે કનૈયા લાલ કી ગુંજ સુનાઈ રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના ઇસ્કોન મંદિર માં કૃષ્ણ જન્મોત્સવ સાથે સાથે નેત્ર નિદાન કેમ્પ ભક્તો મળીને ભવ્ય કીર્તન કરી રહ્યા છે ઇસ્કોન મંદિર દ્વારા સનાતન ધર્મને ધ્યાનમાં રાખી વૈદિક રીતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ધર્મ ભક્તિ ની સાથે સામાજિક સંસ્થાઓ જાયન્ટ્સ મોડાસા સૈયર મોડાસા જલારામ ટ્રસ્ટ મેઘરજ સાથે મળી નેત્ર નિદાન કેમ્પ સાથે ચશ્મા વિતરણ દર્દીઓને મોતિયા ફ્રી ના ઓપરેશન કરવા નું આયોજન કરવામાં આવ્યું ઇસ્કોન મંદિર સવારે મંગળા આરતી થી બપોરે સેવા. કીર્તન . ગીતા જ્ઞાન સાથે પ્રસાદ વિતરણ રાત્રે 12:00 વાગે ભગવાનનો જન્મોત્સવ ભવ્ય રીતે ભક્તિ ભાવથી ઉજવવામાં આવશે ઇસ્કોન મંદિરના પ્રભુ મનુ ભીસ્ટમદાસ પ્રવિણા માતાજી અને તેમની ટીમ દ્વારા મહાપ્રસાદ ભગવાનના શૃંગાર ભક્તિના કાર્યક્રમો નું આયોજન આયોજન કરવામાં આવ્યું ભક્તિ સેવાના કાર્યક્રમમાં જીવદયાપ્રેમી નિલેશ જોશી સામાજિક કાર્યકર રેડક્રોસ ના ભરત પરમાર .મુકેશ પટેલ .અનિલ પટેલ . વિનોદ ભાવસાર અમિત કવિ અને વિશાળ માત્રામાં ભક્તો જોડાયા હતા





