33 C
Gujarat
Wednesday, July 15, 2026
Home HeadLines ‘મણિપુર ના એક છે, ના સેફ’, મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં ફેલાયેલી હિંસા પર...

‘મણિપુર ના એક છે, ના સેફ’, મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં ફેલાયેલી હિંસા પર પીએમ મોદી પર સાધ્યું નિશાન

0
131

મણિપુરમાં ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના મૃતદેહ નદી નજીકથી મળી આવ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. જે બાદ પ્રદર્શનકારીઓએ શનિવારે રાજ્યના ત્રણ મંત્રીઓ અને છ ધારાસભ્યોના નિવાસસ્થાનો પર હુમલો કર્યો, ત્યારબાદ સરકારે પાંચ જિલ્લામાં અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા.

આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરમાં થઈ રહેલી હિંસા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘મણિપુર ના એક છે, ના સેફ’

પીએમ મોદી પર નિશાન સાધ્યું
પીએમ મોદી પર કટાક્ષ કરતા, તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, “તમારી ડબલ એન્જિન સરકાર હેઠળ, ન તો મણિપુર સંયુક્ત છે, ન તો મણિપુર સુરક્ષિત છે. મે 2023 થી, રાજ્ય અકલ્પનીય પીડા, વિભાજન અને વધતી હિંસામાંથી પસાર થઈ રહ્યું છે, જે તેના લોકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપ તેમની ઘૃણાસ્પદ વિભાજનકારી રાજનીતિને કારણે જાણીજોઈને મણિપુરને બાળવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!