રેલવેના પાટા પર પસાર થતા પશુઓ અવાર નવાર ટ્રેન નીચે આવી જતા હોય છે આ પ્રકારની ઘટનાઓ દેશની અંદર વિવિધ રાજ્યોમાં અવાર નવાર બનતી હોય છે રેલવે ટ્રેક પર ખુલ્લી જગ્યા હોવાથી પશુઓ આ ટ્રેક પર થી ક્યારેક પસાર થતા હોય છે તો ક્યારેક આ ટ્રેક પર સતત ચાલતા હોય છે. જેથી આ પ્રકારની દુર્ઘટનાઓ અવાર નવાર બની રહી છે. પશુ માલિકો દ્વારા પશુઓની ચિંતાને લઈને આ પ્રકારના અનેક સવાલો અગાઉ પણ થયા હતા. ત્યારે રેલવે તંત્રે તેને લઈને સગન તૈયારી કરી હતી કે કઈ રીતે આ પશુઓને રેલવે ટ્રેક પરથી આવતા રોકવા ત્યારે એક આશાનું કિરણ અત્યારે જોવા મળી રહ્યું છે.
રેલવેના પાટા પર પશુઓના મૃત્યુ હવેથી નહીં થાય, જાણો કેમ
રેલવે દ્વારા સ્માર્ટ ઇવેન્ટ ટ્રેકિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમથી તેમને ઉત્કૃષ્ટ પરિણામો મળ્યાં છે. આગ્રાડિવિઝનમાં આ અંગેનો એક પ્રયોગ કરવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે જે જગ્યાએથી પશુઓ ટ્રેક પર આવે છે ત્યાં થોડો સુધારો કરાઇ શકાય છે. પશુઓ જે જગ્યાએ આવે છે ત્યાંથી તેની ખબર પડી શકે છે. જેથી ત્યાં એલર્ટ થઈ શકાય છે અને તેમનો જીવ બચી શકે છે. જેથી ટ્રેકિંગ સિસ્ટમ આ રીતે કામ આવી શકે છે. જે ગૂગલ મેપ સાથે જોડાઈ પશુઓનો જીવ બચાવી શકાય છે.
અત્યાર સુધી કેટલા રન ઓવર થયા
વર્ષ / સંખ્યા
2019-20 / 27,046
2020-21 / 19,949
2021-22 / 27,046
2020-21માં કોરોનાને કારણે આ આંકડામાં ઘટાડો થયો છે.





