33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home રાષ્ટ્રીય ભગવંત માન 16 તારીખે મુખ્યમંત્રીના શપથ લેશ, પંજાબમાં AAP એ ઈતિહાસ રચ્યો

ભગવંત માન 16 તારીખે મુખ્યમંત્રીના શપથ લેશ, પંજાબમાં AAP એ ઈતિહાસ રચ્યો

0
285

પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં સૌથી રોચક પરિણામ પંજાબના આવ્યા હતા. પંજાબમાં તમામ પાર્ટીઓને ઝાડૂએ સાફ કરીના ખ્યા અને 117 સીટ સામે 90થી વધુ સીટ માં આમ આદમી પાર્ટીએ જંગી જીત મેળવી છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારોએ પણ 80 સીટ ની અપેક્ષા રાખી હતી પરંતુ 90થી વધુ સીટો મળતા દેશભરમાં આમ આદમી પાર્ટી ચર્ચામાં છે.

13 માર્ચ ના રોજ અરવિંદ કેજરીવાલ સાથે અમૃતસરમાં તેઓ રોડ શો કરશે. આવતી કાલે સરકાર બનાવવાનો દાવો રાજ્યાલને રજૂ કરશે. ભગવંત માન લેશે 16 તારીખે મુખ્યમંત્રીના શપથ લેશે. પહેલીવાર આપ ની સરકાર પંજાબમાં બનશે.

રાજ્યમાં આપના મોટા નેતાઓને પંજાબમાં ચુંટાયા નથી. પુર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ, કેપ્ટન અમરિંદર સિંહ ઉપરાંત નવજોત સિદ્ધ, સુખબીર બાદલ સહીત અનેક દિગ્ગજ નેતાઓ હારી ગયા છે.

પંજાબમાં આપ પાર્ટીને મળી 92 બેઠક મળી છે. આપ પાર્ટીએ 92 બેઠક જીતી છે. કોંગ્રેસને માત્ર 18, અકાલી દળને 4, ભાજપને 2 બેઠક મળી છે. સૌ કોઈને પંજાબ ની જીત બાદ આપ પાર્ટીએ ચોંકાવી દીધા છે.

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી સમયમાં ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ડિસેમ્બર 2022 દરમિયાન ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી શક્યતાઓ છે ત્યારે કોંગ્રેસ નું પ્રભુત્વ ગુજરાતમાં ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે ત્યારે બીજીબાજુ લોકો ની સામે આમ આદમી પાર્ટી એક ઓપ્શન તરીકે ઉભરી શકે તેવી શક્યતા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!