સંખેડા 139 વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર ધીરુભાઈ ભીલને ઉમેદવાર જાહેર કરતા 120 વર્ષના તેમના માતાજીના આશીર્વાદ લઇ ચૂંટણી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા
સંખેડા 139 વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર અને ભાઈના હુલામણા નામથી ઓળખાતા ધીરુભાઈ ભીલ પહેલા વિધાનસભા 1995 માં અપક્ષ ઉમેદવાર તરીકે લડીને જીત્યા ત્યારબાદ 1998કોંગ્રેસ,તરીકે લડીને જીત્યા હતા ત્યારે ,2002 મા હાર થઇ હતી ત્યારબાદ 2007મા કોંગ્રેસ પક્ષમાંથી જીત થઇ હતી ત્યારબાદ 2012મા જીત થઇ હતી ત્યારબાદ ,, 2017 મા હાર થઇ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની ઈમાનદારી રૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા 139 સંખેડા વિધાનસભા ઉમેદવાર તરીકે 2022 માં ઉમેદવાર તરીકે પસંદગી કરી છે ત્યારે ધીરુભાઈ ભીલ દ્વારા તેમના 120 વર્ષના માતાજીના આશીર્વાદ લઇ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અને તેમણે જાહેર કર્યું હતું કે આ મારી છેલ્લી વિધાનસભા ની ચૂંટણી લડી નિવૃત્તિ જાહેર કરી છેલ્લો મત મારા મત વિસ્તાર ના મતદારો પાસે માંગી ને હું નિવૃત્તિ લઈશ મતદારો પાસે અમે ભાજપના ખોટા વચનો તેમજ ગેસના બાટલા તેમજ નવ યુવાનો ના રોજગારી ના પ્રશ્નો જંગલ જમીન તેમજ ખેડૂતો ના પ્રશ્નો લઇ મતદારો પાસે જઈશું અમોને આશા છે મતદારો મને તેમજ કોંગ્રેસ પક્ષ ને જંગી બહુમતી થી જીતાડશે
અલ્કેશ તડવી, છોટાઉદેપુર