26 C
Ahmedabad
Monday, March 27, 2023

અરવલ્લી : કેનાલમાં ભંગાણ…ખેડૂતો માટે આફત, હજ્જારો લીટર પાણી વેડફાતા ખેડૂતો પીયત પાણી માટે મુશ્કેલીમાં, રીપેરીંગની માંગ ઉઠી


ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન થતા જીલ્લાના જળાશયો છલકાયા હતા જીલ્લાના જળાશયો છલકાતા ખેડૂતોને રવી સીઝનમાં સિંચાઈનું પાણી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે હાલ શિયાળાની સીઝનમાં પાકને બચાવવા અને મબલક ઉત્પાદન મળે તે માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદ છવાયો છે મોડાસાના આલમપુર નજીક પસાર થતી માઝુમ કેનાલમાં ગાબડું પડતા હજ્જારો લીટર પાણી વેડફાટ થતા ખેડૂતોને પિયત પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

Advertisement

Advertisement

મોડાસાના માઝુમ ડેમમાંથી બીજા તબક્કાનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. ત્યારે મોડાસાના આલમપુર પાસે કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. ચોમાસા બાદ કેનાલોમાં જંગલ કટિંગ અને સમારકામ કરવાનું હોય છે તે તંત્ર દ્વારા કરવામાં આવતું નથી. જેના કારણે જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે કેનાલમાં મોટા મોટા ગાબડા પડતા હોય છે અને પાણીનો વેડફાટ થાય છે. ખેડૂતોને ખરા સમયે ખેતીમાં પાણી વગરના રહેવું પડે છે. ત્યારે સિંચાઈ તંત્ર જાગે અને કેનાલો રીપેર કરાવે જેથી વારંવાર કેનાલોમાં ભંગાણના સર્જાય અને ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી માગ ઉઠી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!