સાંજ ના સુમારે મેઘરજ નગર ની ઘેલી માતા ના મંદિરે બાકડા પર એક અજાણ્યો કિશોર કલાકો થી બેસી રહ્યા ની માહિતી સ્થાનિક પત્રકાર રહીમ ભાઈ ચડી ને મળી હતી જે બાદ રહીમ ભાઈ દ્વારા ત્યાં પહોંચી કિશોર નું નામ ઠામ પૂછતા પોતે ગણેશ સંજય ભાઈ રાવળ અને ડૂંગરપુર જિલ્લા નો હોવાનું જણાવ્યું હતું ત્યારે કિશોર ની સ્થિતિ જોઈ તેને નાસ્તો કરાવી ત્યાં બેસાડી પોલીસ નો સંપર્ક કરાયો હતો, ગણતરી ની મિનિટો માં જ ટાઉન જમાદાર મહેન્દ્ર સિંહ ની સૂચના થી પોલીસ ની ટીમ ઘેલીમાતા મંદિરે પહોંચી હતી તે બાદ મેઘરજ પી આઈ.કે એસ ચાવડા સાથે વાત કરી ભૂલા પડેલા કિશોર ને પત્રકાર રહીમ ભાઈ ચડી અને પોલીસ ટીમ દ્વારા પોલીસ મથકે પહોંચાડી તેના માતા પિતા ની શોધખોળ હાથ ધરવા માં આવી હતી,રાત્રી દરમિયાન સુધી કિશોર ના માતા પિતા ની કોઈ ભાળ મળી ન હતી,કિશોર પોતે રાજસ્થાન ડુંગરપુર નો હોવાનું રટણ કરી રહ્યો હતો છતાં પોલીસ સ્ટાફ દ્વારા તેને પ્રેમ થી જમાડ્યો હતો અને રજાઈ ચાદર ની વ્યવસ્થા કરી પોલીસ મથક ખાતે સુવડાવ્યો હતો,ત્યારે સવારે બાળક ને પોલીસ સ્ટાફ દ્વારા વિશ્વાસ માં લઇ કાઉનસેલિગ કરી પૂછતાં પોતે વાઘપુર તા.મેઘરજ ગામ નો હોવાનું જણાવતા તેના વાલી વારસા નો સંપર્ક કરાયો હતો અને જરૂરી ચકાસણી કરી કિશોર ને તેના પરિવાર ને સોંપવામાં આવ્યો હતો,આમ પરિવાર થી વિખૂટા પડેલા અને બીક ના મારે માં પોતે ડુંગરપુર નો હોવાનું કહેતા કિશોર નું પત્રકાર રહીમ ભાઈ ચડી તેમજ મેઘરજ પોલીસ ના સહિયારા પ્રયાસ થી પરિવાર સાથે સુખદ મિલન થયું હતું.