પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થયું છે. મુશર્રફે દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 79 વર્ષના હતા. મુશર્રફ લાંબા સમયથી એમાયલોઇડિસ રોગથી પીડિત હતા. પરવેઝ મુશર્રફે પાકિસ્તાનની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેઓ એક સમયે પાકિસ્તાનના સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા. તમને જાણીને નવાઈ લાગશે કે મુશર્રફનો જન્મ પાકિસ્તાનમાં નહીં પરંતુ ભારતમાં થયો હતો.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં થયો હતો. 1947 માં ભારતના ભાગલાના થોડા દિવસો પહેલા, તેમના સમગ્ર પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું. તેમના પિતા પાકિસ્તાન સરકારમાં વિદેશ મંત્રાલયમાં કામ કરતા હતા.