ભિલોડાની આર.જે.તન્ના પ્રેરણા મંદિર શિક્ષણ તેમજ અન્ય પ્રવૃતિઓમાં પણ હંમેશા અગ્રેસર રહે છે.તાજેતરમાં શાળાના વિધાર્થીઓને સાયન્સ સીટીની મુલાકાતે લઇ જવામાં આવ્યા.વિધાર્થીઓમાં રહેલી શક્તિઓને બહાર લાવી સાયન્સ અને ટેકનોલોજી પ્રત્યે રસ વધે તેવા હેતુથી મુલાકાત લેવામાં આવી.વિધાર્થીઓ સાયન્સ સીટીમાં એકલેરીયમ રોબોટીક્સ બાયોડાર્વસીટી,અને થ્રીડી મુવી મુનવોક ની મુલાકાત લીધી હતી.તેમજ ધાર્મિક સ્થળો જેવા કે મહુડી મંદિર,ગાંધીનગરના સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી.
આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન શાળાના આચાર્ય રમણભાઈ પટેલના માર્ગદર્શન પ્રમાણે શાળાના શિક્ષક મિત્રો આશિષભાઈ પટેલ,મહેશભાઈ પટેલ,ભરતભાઈ પટેલે કર્યું હતું.સંસ્થાના સંચાલક દામુભાઈ પટેલે તમામ વિધાર્થી ભાઈ-બહેનોને તેમજ શિક્ષક મિત્રોને અભિનંદન આપ્યા હતા..