30 C
Ahmedabad
Tuesday, April 23, 2024

આળસુ અધિકારીઓના પાપે બહુમાળી ભવનમાં શ્રમ અને રોજગાર વિભાગની ધૂળ ખાતી બાઈક


કરોડોનો ખર્ચ કરી સરકારે બાઈકો તો મોકલી આપી પરંતુ લાભાર્થી સુધી પહોંચી જ નઈ

Advertisement

સમગ્ર મામલાની તપાસ થશે કે પછી ઉચ્ચાધિકારીઓ પણ આળશમાં જ કાઢસે

Advertisement

ગુજરાતના લાભાર્થીઓને લાભ મળે માટે ગુજરાત સરકાર કરોડોનું બજેટ ફાળવી યોજના અમલમાં મૂકતી હોય છે પરંતુ સરકારના કેટલાક કુંભ કરણની નિંદ્રામાં ઉગતા અધિકારીઓના કારણે યોજનાનો ફીયાસકો થઈ જતો હોય છે. આવું જ કંઈક સામે આવ્યું છે સાબરકાંઠા જિલ્લામાં અહીંયા બહુમાળી ભવન ખાતે શ્રમ અને રોજગાર વિભાગે ખરીદેલી પાંચ જેટલી બાઇકો રની-ધણી વગરની જેમ ધૂળ ખાઈ રહી છે

Advertisement

હિંમતનગર શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે બિસ્માર હાલતમાં શ્રમ અને રોજગાર વિભાગની બાઈકો ધૂળ ખાઈ રહી છે આ બાઈકોની હાલત એવી છે કે તેને ભંગારમાં આપવા જાવ તો પણ ફૂટી કોડી નસીબ ન થાય. રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે ગ્રામ્ય કક્ષાએ રોજગારી વધે તે માટે કરોડો રૂપિયાની બાઈકોની ખરીદી કરીને બાઇકો જિલ્લામાં થકે મોકલી આપી પરંતુ આળસુ અધિકારીઓના કારણે બહુમાળી ભવન ખાતે આ બાઈકો કંડમ હાલતમાં જોવા મળી રહી છે. જો સાચા અર્થમાં અધિકારીઓએ લાભાર્થીઓને લાભ અપાવી હોય તો આજે પરિસ્થિતિ કંઈક અલગ જ હોત પરંતુ માત્ર ઓફિસની હવા ખાવા ટેવાયેલા અધિકારીઓના કારણે લાભાર્થીઓ તો લાભથી વંચિત રહ્યા પરંતુ સરકારને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

Advertisement

રાજ્ય સરકાર લાભાર્થીઓ માટે સતત કાર્યરત રહી યોજના અમલ કરે છે યોજના અમલમાં મૂકે છે યોજનાની જોગવાઈ અનુસાર બજેટ પણ ફાળવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા નબળા અધિકારીઓના કારણે આખી યોજનાનો ફીયાસકો થઈ જતો હોય છે ત્યારે સરકારે પણ આવા અધિકારીઓ ઊંઘ ઉડાડી તેમની સામે કડક પગલાં લેવા જોઈએ તેવી નગરજનો માંગ કરી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!