33 C
Ahmedabad
Thursday, March 28, 2024

તુ છુપી હૈ કહા… શાહિસ્તા , જરા આહિસ્તા આહિસ્તા


 

Advertisement

લેખક-મહેન્દ્ર બગડા

Advertisement

આઈપીએલને ટક્કર મારી રહેલ યુપીએલ-1 તો અતિક અને તેના ભાઈ અશરફના મૃત્યુ સાથે ખતમ થઈ ગયુ છે પરંતુ યુ પીએલ પાર્ટ ટુ માટે શાહિસ્તાએએ ટીવી દર્શકોમાં કૌતુક જગાવ્યુ છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની બાહોશ પોલિસ ફોર્સ એક મહિલાને પકડી શકતા નથી.

Advertisement

હુ દાવા સાથે કહું કે જો ગુજરાતની ઝાંબાજ પોલિસને શાહિસ્તાનો કેસ સોંપવામાં આવે તો ચપટી વગાડતા શાહિસ્તાને પકડી લે. કારણ કે ગુજરાત પોલિસ દરિયાની મધ્યથી કરોડોનું ડ્રગ હોય કે લકઝરી બસ કે ટ્રેનના ડબ્બામાં કપડાના થેલામાં સંતાડેલુ મેકડોવેલનુ ક્વોર્ટર પણ જો ઝીણવટ સાથે ઝડપી પાડતુ હોય તો શાહિસ્તાને તો પકડવુ ખુબ આસાન છે.
ખેર, શાહિસ્તા પકડાતી નથી તે સાથે તેણે જે કારનામાઓ ક્યારેય વિચાર્યા નહી હોય તેવા કારનામાઓ તેના નામે રોજ સાંજ પડતા ટીવીના પડદે ચડી જાય છે.

Advertisement

હાલ શાહિસ્તાને દેશની નબંર વન લેડી ડોનનો ખિતાબ મળી ચુક્યો છે. આગળ જતા વધુ કેટલા વિશેષણ મળશે તેતો ભગવાન જાણે. પરંતુ શાહિસ્તાને પણ અભિનંદન તો આપવા જ પડે હો, આટ આટજલી પોલિસ, સીઆરએફ, એટીએસ વગેરે આકાશ પાતળ એક કરવા છતા આ ખાતુન પકડાતા નથી.

Advertisement

આકાશ પાતાળ શબ્દ લખવા પાછળ તર્ક એ છે કે ડ્રોનથી નીગરાની રાખવામાં આવી રહી છે, જમીનની અંદર ભુગર્ભ ટનલો માં લેડી પોલિસ તપાસ કરી રહી છે. છતા પણ આ બહેન પકડાતા નથી.

Advertisement

જો કે તેમના પર પણ આકાશ તુટી પડ્યુ છે, જુવાનજોધ દિકરો એન્કાઉન્ટરમાં માર્યો ગયો, પતીદેવ અને દેવર શુટઆઉટમાં ખતમ થઈ ગયા. એક મહીલા માટે આનાથી મોટુ દુખ શું હોઈ શકે પરંતુ છતા પણ શાહિસ્તા હજુ સરેન્ડર થવાના બદલે ભાગી રહી છે. ગજબની મહિલા ગણાય હો.

Advertisement

દોસ્તોએવસ્કીની પ્રસિધ્ધ નોવેલના ટાઈટલ  પ્રમાણે ક્રાઈમ ક્યારે છુપુ રહેતુ નથી કે ક્રાઈમ કરવાવાળા ક્યારે શાંતીથી જીવી કે મરી શકતા નથી તે આ કિસ્સાથી સાબિત થઈ રહ્યું છે.

Advertisement

શાહિસ્તા પરવિન ઉત્તર પ્રદેશ પોલિસના પગે પાણી ઉતારી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યા સુધી હજુ સુધી શાહિસ્તા પરવિનનો કોઈ પત્તો મળ્યો નથી. પોલિસને હજુ તો શાહિસ્તા પછી મુખ્તાર અંસારીની બેગમને પણ પકડવાની છે. ઉત્તર પ્રદેશ પોલિસ તમામ કામગીરી પડતી મુકી હાલ તો જાણે આ બે મહિલાઓને શોધવામાં જ લાગી હોય તેવુ લાગી રહ્યું છે.

Advertisement

બે હજાર ચોવિસ સુધી અતિકનુ ભુત ધુણતુ રહેશે તેવા હાલના સંજોગોમાં લાગી રહ્યું છે કારણ કે વિપક્ષ અને સત્તા પક્ષ બંને અતિકકાંડમાં પોત પોતાની વોટબેંકનો ફાયદો નુકસાન જોઈ રહ્યો છે.

Advertisement

શાહિસ્તા પરવિન અને અતિક પર હજુ સુધી કોઈ બોલિવુડના પ્રોડ્યુસરે ફિલ્મ બનાવવાની જાહેરાત નથી કરી તે પણ એક આશ્ચર્યજનક બીના છે. કોઈ પણ નાની મોટી ધટના પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી પ્રસિધ્ધી પામનાર હજુ કોઈ પ્રોડ્યુસર સામે નથી આવ્યો તે નવાઈ કહેવાય.

Advertisement

ગુડ્ડુ મુસ્લીમ આખી ઘટનામાં ભુલાઈ ગયો તો તેને પણ યાદ કરી લઈએ. બોમ્બબાઝના નામથી પ્રસિધ્ધ ગુડ્ડુ મુસ્લીમની બોંબ ફેંકવાની સ્ટાઈલ અજબ છે. જાણે કે હવેલીમાં ધુળેટી ઉત્સવમાં ગુલાબી સુગંધી રંગ ઉડાડતો એવી સહજતાથી તે લોકો પર બોંબ ફેંકી રહ્યો છે. એ પકડાશે કે એન્કાઉન્ટરમાં ઠાર મરાશે તેના પર બુકીઓ દાવ લગાવી શકે તેવી થ્રીલીંગ અનુભવાઈ રહી છે.

Advertisement

કોઈ બુકીએ હજુ સુધી આના ભાવ કાઢ્યા નથી તે પણ નવાઈ અથવા તો બુકીઓની ઉદાસીનતા ગણી શકાય.

Advertisement

નોંધ- લેખક પ્રસિધ્ધ ટીવી જર્નાલીસ્ટ અને ટીવી પર પ્રસારીત થતા લોકપ્રિય શો ભાઈ ભાઈના એન્કર છે. પ્રતિભાવ માટે વોટ્સઅપ નંબર-9909941536

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!