28.3 C
Gujarat
Monday, August 3, 2026
Home HeadLines અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું,...

અરવલ્લી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું, દર્શન કરી ધન્ય બન્યા

0
512

અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નો ધસારો રહે છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાનાં ભગવાન શામળીયા નાં આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તો નું ધોડાપુર ઉમટ્યું હતું ભગવાન શામળીયાને સુંદર વાઘામાં સુશોભિત કરવામાં આવ્યા હતા વિવિધ અલંકાર ભગવાન શામળીયાને પહેરાવવામાં આવ્યા હતા મંદિર નાં ગર્ભ ગૃહને ફુલોથી સજાવવામાં આવ્યું હતું હજારો ભક્તો એ કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શામળાજી પોલીસે મંદિર પરિસરમાં તથા બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!