અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં બિરાજતા કાળીયા ઠાકોરના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નો ધસારો રહે છે બુદ્ધ પૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
યાત્રાધામ શામળાજીમાં પૂર્ણિમાનાં ભગવાન શામળીયા નાં આશીર્વાદ મેળવવા માટે વહેલી સવારથી જ ભક્તો નું ધોડાપુર ઉમટ્યું હતું ભગવાન શામળીયાને સુંદર વાઘામાં સુશોભિત કરવામાં આવ્યા હતા વિવિધ અલંકાર ભગવાન શામળીયાને પહેરાવવામાં આવ્યા હતા મંદિર નાં ગર્ભ ગૃહને ફુલોથી સજાવવામાં આવ્યું હતું હજારો ભક્તો એ કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શામળાજી પોલીસે મંદિર પરિસરમાં તથા બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
