જમ્મુ-કાશ્મીરના ડોડામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં કિશ્તવાડથી જમ્મુ જઈ રહેલી બસ ડોડાના અસાર વિસ્તારમાં ત્રંગલ પાસે 300 ફૂટ નીચે ખાઈમાં પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ બસમાં 55 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં 36 લોકોના મોત થયા છે જ્યારે 19 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને બચાવ દળના સભ્યો ઘટનાસ્થળે હાજર છે અને ઘાયલોને બહાર કાઢવાનું કામ મોટા પાયે ચાલી રહ્યું છે.

અકસ્માત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે જમ્મુ-કાશ્મીરના ડોડામાં બસ દુર્ઘટના દુઃખદ છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.


The bus accident in Doda, Jammu and Kashmir is distressing. My condolences to the families who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. Rs.…
— PMO India (@PMOIndia) November 15, 2023
બચાવ અને રાહત કાર્યમાં લાગેલા લોકોએ જણાવ્યું કે બસને કાપીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને કિશ્તવાડ જિલ્લા હોસ્પિટલ અને ડોડા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર ગંભીર ઈજાગ્રસ્તોને જમ્મુ લઈ જવામાં આવ્યા છે. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. જ્યારે પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને એલજી મનોજ સિન્હાએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ટ્વીટ કર્યું કે અસાર ડોડામાં એક દુ:ખદ બસ દુર્ઘટનામાં જાન ગુમાવવાથી તેઓ ખૂબ જ દુઃખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના. ડિવિઝનલ કમિશનરો અને જિલ્લા વહીવટીતંત્રને અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.






