29.5 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લીઃ પી એમ મોદીના મહેસાણા કાર્યક્રમમાં જવા કેટલાયે એસ ટી બસના રૂટ...

અરવલ્લીઃ પી એમ મોદીના મહેસાણા કાર્યક્રમમાં જવા કેટલાયે એસ ટી બસના રૂટ રદ કરી દેવાતાં મુસાફરોમાં રોષ

0
107

રાજકીય કાર્યક્રમો માટે એસ ટી બસોનો ઉપયોગ કરાતાં રદ કરી દેવાયેલા રૂટના મુસાફરો અટવાઇ પડે છે

બાયડ બસ મથક ખાતે રદ કરી દેવાયેલા રૂટની બસની લાઈનો જોવા મળી

ગુજરાત રાજ્યમાં સરકારી અને રાજકીય કાર્યક્રમોમાં લોકોને લઈ જવા માટે મોટાભાગે એસટી બસોનો ઉપયોગ કરાતો હોવાથી જે વિસ્તારના એસટી બસના રૂટ રદ કરવામાં આવે છે તે વિસ્તારના મુસાફરો બિચારા અટવાઈ પડે છે
22 ફેબ્રુઆરી 2024 ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે વાળીનાથ મહાદેવ મંદિર ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ મોદી હાજરી આપી શકે છે જેથી બાયડ બસ સ્ટેશનમાં રદ કરી દેવાયેલા રૂટની એસટી બસોની લાઈનો જોવા મળી હતી બાયડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના નાના-મોટા રૂટ બંધ કરી દેવાતા મુસાફર જનતામાં આક્રોશ જોવા મળ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!