20 C
Ahmedabad
Friday, January 17, 2025

સીરિયામાં ફસાયેલા ભારતીય નાગરિકો સાથે ભારત સરકાર, 75 લોકો લેબનોન થઈને દેશ પરત


સીરિયામાં બળવાખોરોએ બશર અલ-અસદ સરકારને સત્તા પરથી હટાવી દીધી હતી, ત્યારબાદ તેઓએ સમગ્ર દેશ પર કબજો જમાવ્યો હતો. રવિવારે 55 વર્ષથી ચાલી રહેલી અલ-અસદ પરિવારની સરકાર પડી ગઈ. જો કે, આ દરમિયાન, ભારત સરકારે ત્યાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને પગલાં લીધાં છે.

Advertisement

સીરિયામાં 13 વર્ષથી ચાલી રહેલ વિદ્રોહ રવિવારે અંતિમ ચરણ પર પહોંચી ગયો હતો. આ સમય દરમિયાન, બળવાખોરોએ બશર અલ-અસદ સરકારને સત્તા પરથી હટાવી દીધી અને સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો. જેના કારણે સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. સીરિયામાં ચાલી રહેલા આ વિદ્રોહના માહોલમાં ઘણા વિદેશી નાગરિકો પણ ફસાયા છે, જો કે ભારત સરકારે ત્યાંથી પોતાના નાગરિકોને બહાર કાઢ્યા છે.

Advertisement

વિદ્રોહી દળોએ રાષ્ટ્રપતિ બશર અસદની સરમુખત્યારશાહી સરકારને હટાવવાના બે દિવસ બાદ મંગળવારે ભારત સરકારે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા હતા. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે દેશની સરકાર વિદેશમાં પણ પોતાના નાગરિકોની સુરક્ષા માટે ઉભી હોય. આ પહેલા પણ ઘણી વખત ભારત સરકારે અન્ય દેશોમાં પોતાના નાગરિકોને બચાવ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!