30.8 C
Gujarat
Tuesday, July 14, 2026
Home કરંટ ઇશ્યુ સીરિયામાં ફસાયેલા ભારતીય નાગરિકો સાથે ભારત સરકાર, 75 લોકો લેબનોન થઈને દેશ...

સીરિયામાં ફસાયેલા ભારતીય નાગરિકો સાથે ભારત સરકાર, 75 લોકો લેબનોન થઈને દેશ પરત

0
120

સીરિયામાં બળવાખોરોએ બશર અલ-અસદ સરકારને સત્તા પરથી હટાવી દીધી હતી, ત્યારબાદ તેઓએ સમગ્ર દેશ પર કબજો જમાવ્યો હતો. રવિવારે 55 વર્ષથી ચાલી રહેલી અલ-અસદ પરિવારની સરકાર પડી ગઈ. જો કે, આ દરમિયાન, ભારત સરકારે ત્યાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને પગલાં લીધાં છે.

સીરિયામાં 13 વર્ષથી ચાલી રહેલ વિદ્રોહ રવિવારે અંતિમ ચરણ પર પહોંચી ગયો હતો. આ સમય દરમિયાન, બળવાખોરોએ બશર અલ-અસદ સરકારને સત્તા પરથી હટાવી દીધી અને સીરિયાની રાજધાની દમાસ્કસ પર કબજો કરી લીધો. જેના કારણે સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. સીરિયામાં ચાલી રહેલા આ વિદ્રોહના માહોલમાં ઘણા વિદેશી નાગરિકો પણ ફસાયા છે, જો કે ભારત સરકારે ત્યાંથી પોતાના નાગરિકોને બહાર કાઢ્યા છે.

વિદ્રોહી દળોએ રાષ્ટ્રપતિ બશર અસદની સરમુખત્યારશાહી સરકારને હટાવવાના બે દિવસ બાદ મંગળવારે ભારત સરકારે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા હતા. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે દેશની સરકાર વિદેશમાં પણ પોતાના નાગરિકોની સુરક્ષા માટે ઉભી હોય. આ પહેલા પણ ઘણી વખત ભારત સરકારે અન્ય દેશોમાં પોતાના નાગરિકોને બચાવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!