31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

બહુચર્ચિત સુભાષ અતુલ આત્મહત્યા કેસમાં બેંગલોર પોલીસે પત્ની,સાસુ અને સાળાની ધરપકડ કરી


બેંગલોર,

દેશભરમા બહુ ચર્ચિત જગાડનારા એવા બેંગ્લોરની એક કંપનીમા એઆઈ એન્જીનીયર તરીકે ફરજ બજાવનારા અતુલ સુભાષના આત્મહત્યા કેસમાં બેગલોર પોલીસને સફળતા મળી છે. પોલીસ પકડથી ભાગતા અતુલ સુભાષના સાસુ નિશા સિંઘાનીયા,સાળા અનુરાગ તેમજ તેની પત્ની નિકીતાની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કોર્ટમાં રજુ કરીને ન્યાયિક કસ્ટડીમા મોકલી આપવામા આવ્યા છે.

બેગલોર ખાતે નોકરી કરતા એઆઈ એન્જીનિયર અતુલ સુભાષ બેંગલોર સ્થિત આવેલા આવાસ ખાતે આત્મહત્યા કરી હતી.આત્મહત્યા કરતા પહેલા તેને સોશિયલ મિડીયા પર 1.20 કલાક લાબો વિડિયો અપલોડ કર્યો હતો.તેમા તને ન્યાયિક સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા હતા તેમજ પત્ની નિકિતા અને તેના પરિવાર પર માનસિક ઉત્પીડન અને પૈસા પડાવાના આરોપ લગાવ્યા હતા. તેના ભાઈની અરજી પર બેંગલોર પોલીસે 4 જણા સામે ફરિયાદ નોધી હતી બેંગલોર પોલીસે જોનપુર પહોચી હતી.જ્યા તાળુ હોવાથી નોટીસ લગાડી હતી.જોકે આ કેસ બાદ તેમના પરિવારજનો ભાગતા જતા હોવાનો વિડિયો સામે આવ્યો હતો. અતુલ સુભાષે 24 પાનાની એક સુસાઈડ નોટ પણ લખી હતી. બેગલોર પોલીસે સાસુ નિશા સિંઘાનિયા અને સાળા અનુરાગ સિંઘાનીયાની પ્રયાગરાજ તેમજ પત્ની નિકીતાની ગુરુગ્રામ ખાતેથી ધરપકડ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!