અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને દેવાયત પંડિત સમાધી સ્થળ દેવરાજ ધામમાં મંત્રી કમલેશ પટેલે ભગવાન રામદેવપીર અને મહાન સંત દેવાયત પંડિતની સમાધીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિરમાં પરંપરાગત આરતી-પૂજામાં સહભાગી બન્યા હતા મંદિરના મહંત ધનગિરી મહારાજ તેમજ વહીવટી અધિકારીઓ સાથે મુલાકાત કરીને સ્થળની ઐતિહાસિક મહત્તા, સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. કમલેશ પટેલે મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોના સંરક્ષણ, સ્વચ્છતા અને વિકાસ કાર્યોને પ્રોત્સાહન આપતાં જણાવ્યું કે આવા આસ્થાના કેન્દ્રો સમાજમાં સદભાવ અને એકતા વધારે છે





