તત્વ કોલેજ,મોડાસા અને મેટલ કેરિયર એકેડમી,અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે તત્વ કોલેજ ખાતે કારકિર્દી માર્ગદર્શન અંગેના સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૦ થી વધુ નોકરી ઇચ્છુક ઉમેદવારો આવ્યા હતા.જેમાં શિક્ષણ નું મહત્વ અને રોજગાર અંગે ની તકો વિશે સચોટ માહિતી પૂરી પાડવામાં આવી હતી. સેમિનાર માં ઉપસ્થિતિ રહેલ મેટલ કરિયાર અમદાવાદના કો-ફાઉન્ડર સુનીલ આનંદ આની, મેટલ કરિયારના કો ફાઉન્ડર અભયસિંહ વાળા તેમજ સમગ્ર શક્ષા અભિયાનના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર અમિત કવિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
તત્વ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કિરણ દરજી તથા ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ઓફિસર પ્રૉ. હરેન્દ્રસિંહ ચૌહાણે કર્યુ હતું. તત્વ કોલેજ ના કેમ્પસ ડાયરેક્ટર પ્રૉ.જયદત્તસિંહ પુવારે વિદ્યાર્થી હિતને પ્રોત્સાહન આપતી આવી પ્રવૃત્તિઓને આવકારી હતી.